Saturday, September 13, 2014

સુખને એક અવસર તો આપો.

સમયની રીતે જોઈએ તો આ પુસ્તક જૂનું કહી શકાય તેવું છે. પણ અમુક પુસ્તકોને સમય સ્પર્શી શકતો નથી. આ પુસ્તક પણ એવું જ છે. જયારે વાંચો ત્યારે નવો અર્થ પ્રગટાવવા સમર્થ.

મોટા ભાગના લોકોની જિંદગી ફરિયાદો કરવામાં જ વીતી જતી હોય છે. નાની નાની ખુશીઓ તો અઢળક હોય છે સામે. પણ રોદણાં રોવામાં મશગુલ હોય, તેને તે ક્યાંથી દેખાય? સંબંધની મીઠાશ, તંદુરસ્ત શરીર, અવનવી તક, સરસ સંજોગ.. કુદરતના પાલવમાં કંઇ કેટલુંય હોય છે. પણ મનથી ખાલી માનવ આ માણી શકતો નથી, સુખ અનુભવી શકતો નથી. એટલે જ આ પુસ્તક કહે છે કે સુખને એક અવસર તો આપો.
ફિલ બોસ્મન્સનાં મૂળ પુસ્તક “ધ નોટ્સ ટુ માયસેલ્ફ”નું ગુજરાતી કર્યું છે શ્રી મહેશ શાહે. વિષયને અનુરૂપ ખૂબ સરસ ફોટોગ્રાફ્સ પુસ્તકની શોભા વધારે છે. લાંબું વાંચવું ના ગમતું હોય એને પણ આ પુસ્તક એક વાર ખોલ્યા પછી જલદી બંધ કરવું નહિ ગમે. કેમ કે તેની નાની નાની વાતો જીવનમાં બહુ મોટી અસર કરે તેવી છે. જીવનનાં દરેક પાસાં આ પુસ્તક આવરી લે છે. એટલે કોઈને જન્મદિવસની યાદગાર ભેટ તરીકે આપવા આ પુસ્તક શ્રેષ્ઠ પસંદગી બની રહે તેમાં બેમત નથી.

No comments:

Post a Comment