Saturday, September 13, 2014

આ થાશે, તે થાશે

આ થાશેતે થાશેશું થાશે ?થવાનું હશે એ તો થાશે ને પછી એનો ભૂખરો લિસોટો રહી જાશે.
આપણે જ અંધારું બોગદું ને એમાંથી આપણે જ સોંસરવું જાવું;ગયા વિના અન્ય કોઈ છૂટકારો નહીંપાછું મન વિશે થાય : સાલું આવું ?અવળસવળ આમતેમ વાતો સન્નાટો પછી આપણી સોંસરવો યે વાશે.
આપણા ખભા પરથી શ્વાસોનો બોજ કોઈ લઈ લેશે પોતાની કાંધે
એ જ ક્ષણે કોઈ ચીજકોઈ વાતકોઈનો સંબંધ નહીં આપણને બાંધે
જેટલું હયાતી વિશે સોચશોને તમેમોત એટલું જ તમને સમજાશે.
રમેશ પારેખ 

No comments:

Post a Comment